આજકાલ દૈનિક જીવનમાં ચાલી રહેલી સમસ્યા થી લગભગ ઘણા લોકો પરેશાન રહેતા હોય છે આદુનો એક નાનકડો ટુકડો ઉધરસ અને શરદીમાં જ નહિ, માઈગ્રેન ની સમસ્યાથી પણ આપે છે રાહત

આજકાલ દૈનિક જીવનમાં ચાલી રહેલી સમસ્યા થી લગભગ ઘણા લોકો પરેશાન રહેતા હોય છે. અમુક લોકો ને તો હંમેશા માટે શરદી ઉધરસ રહેતી હોય છે. જેના કારણે ખુબ જ પરેશાન રહે છે. આ પરેશાની માંથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે આદું. આ આદું ના સેવનથી ઘણી સમસ્યા માંથી રાહત મળી શકે છે. આદું ના સેવનથી શરદી કે ઉધરસ જ નહિ પરંતુ માઈગ્રેન જેવી સમસ્યા પણ દુર થઇ જાય છે. તો ચાલો જાણી લઈએ આદુંના સેવનથી ક્યાં ક્યાં ફાયદા થાય છે.

  • ગેસમાં રાહત અપાવે છે આદું : આદું મોટા આતરડા માં રહેલા બેક્ટેરિયા ને વધવાથી રોકે છે, જેનાથી ગેસ માં રાહત મળે છે.
  • કેન્સર થી બચવા માટે મદદરૂપ છે આદું : આદું માં એન્ટી ઓક્સીડેન્ટ પર્યાપ્ત માત્રા માં હોય છે. એના સેવન થી કેન્સર થી બચવામાં મદદરૂપ થાય છે.
  • માઈગ્રેન માં આરામ અપાવે છે આદું : માઈગ્રેન ની સમસ્યા માં એક લીંબુના રસમાં અડધી ચમચી આદું નો રસ મિક્ષ કરીને પીવાથી ઘણો લાભ થાય છે.

  • આદું કરે છે બ્લડ શુગર લેવલ ને કંટ્રોલ : આદું મુખ્ય રીતે લોહી માં શર્કરા ના સ્તર ને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ડાયાબિટીસ થી આપણા શરીર ના મુખ્ય અંગ પ્રભાવિત થાય છે, એવામાં આદું નો રસ ખુબ જ ફાયદાકારક છે.
  • સાંધા નો દુખાવો અને સોજા માં આરામ અપાવે છે આદું : તાજું આદું પીસી ને દુખાવો થતો હોય તે સાંધા અને મસલ્સ પર લેપ લગાવવાથી સોજો અને દુખાવો બંને માં આરામ મળે છે. લેપ જો ગરમ કરીને લગાવવામાં આવે તો જલ્દી અસર થાય છે.

  • પાચનતંત્ર સુધારે છે આદું : આદું પાચન કરવાનું કામ કરે છે, પરંતુ ઉનાળા માં એનું વધારે પડતું સેવન ન કરવું, કારણ કે એની તાસીર ગરમ હોય છે એટલે આદું શરીર માં ગરમી વધારે છે.
  • શરદી, ઉધરસ અને કફમાં આરામ આપે છે આદું : આદું ની ચા શરદી, ઉધરસ, કફ, માથાનો દુખાવો અને છાતી ના દુખાવા ને દુર કરે છે
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *