ચરબી ઓગાળવા માટે આ ચમત્કારી વસ્તુનું પાણી પીવો રોજ સવારે માખણની જેમ ચરબી ઓગળવા લાગશે,

અમદાવાદઃ આજકાલ મોટાભાગના લોકો પોતાના વધતા વજનને કારણે ટેન્શનમાં છે. દરેકના મનમાં બસ એક જ ઈચ્છા હોય છે કે ગમે તેમ કરીને વજન ઓછું થઈ જાય. જીમમાં જવું ના પડે અને પૈસા ખર્ચ કર્યા વગર વજન ઘટાડવાની ઈચ્છા હોય છે. આજે અમે તમને એક એવો નુસખો આપીશ કે તમારું વજન કંટ્રોલમાં રહેશે.

તમારા રસોડામાં રહેલું જીરું તમારું વજન કંટ્રોલમાં કરશે. તમારે જીરાનું પાણી પીવાનું છે. જીરાનું પાણી બનાવવું ઘણું જ સરળ છે. જીરાના પાણીમાં એન્ટી ઓક્સિડન્ટ, વિટામીન તથા મિનરલ હોય છે. ડાયજેશન માટે આ બહુ જ લાભદાયી છે. આ સાથે જ પાચનતંત્ર હેલ્થી રહે છે.

ઊલ્ટી, ઝાડા, મોર્નિંગ સિકનેસ, ગેસ તથા કબજિયાતમાં આ પાણીથી ઘણો ફાયદો રહે છે. આ ઉપરાંત જીરાનું પાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ તથા ગ્લુકોઝને તોડીને પચાવવામાં સરળ બનાવે છે. જીરાના પાણીમાં આર્યન પણ સારી માત્રામાં હોય છે. આર્યન હોવાથી ઈમ્યુન સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે.

આટલું જ નહીં આ પાણીમાં વિટામિન એ તથા સી હોય છે. રોજ જીરાનું પાણી પીવાથી ઈમ્યુનિટી લેવલમાં વધારો થાય છે. વાસ્તવમાં જીરાના પાણીમાં એન્ટિ ઓક્સિડેન્ટ તત્વો હોય છે, જે શરીરના ઝેરી પદાર્થો બહાર કાઢે છે.

જીરાને રાત્રે પાણીમાં પલાળીને સવારે આ પાણી પી જવું જોઈએ. આ પાણીથી લીવરમાં બાઈલ પ્રોડક્શન વધે છે અને ગેસની સમસ્યામાંથી રાહત મળે છે. આ સિવાય એક ગ્લાસ પાણી લો અને તેમાં બે ચમકી જીરું નાખીને 10 મિનિટ સુધી ઉકાળો. ઠંડું પડે એટલે તરત જ પી જાઓ. આ પાણીથી વજન કંટ્રોલમાં રહે છે. ટેસ્ટ માટે તમે જીરાના પાણીમાં લીંબુનો રસ પણ નાખી  શકો છો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *