પતિના વિરહમાં પત્નીએ પણ ટૂંકાવ્યું જીવન, 35 દિવસ પહેલા માર્ગ દુર્ઘટનામાં નજર સામે પતિનું થયું હતું મોત
મધ્ય પ્રદેશમાં 35 દિવસ અગાઉ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાગર પાસે સર્જાયેલી એક ગોઝારી ઘટનામાં નજર સામે જ પતિ કારમાં સળગીને ભડથું થઈ ગયો હતો. આ આઘાત સહન નહીં કરી શકતા પોતાને ફાંસી લગાવી જીવનનો અંત લાવી દીધો છે.
મળતી માહિતી પ્રમાણે રિઝવાના ખાન (32 વર્ષ) હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ શાહગઢમાં પિતા લિયાકત ખાનના ઘરે રહેતી હતી. શુક્રવારે સવારે રિઝવાનાને ઉંઘમાંથી જાગી તૈયાર થવાનું પરિવારે કહ્યું હતું. પણ ઘણો સમય પસાર થઈ જવા છતાં રિઝવાના રૂમની બહાર આવી ન હતી, જ્યારે પરિવારે રૂમમાં જઈ તપાસ કરી તો ત્યાંનું દ્રશ્ય કંઈક અલગ જ હતું. રિઝવાના ફાંસી લગાવી લીધી હતી. પરિવારે પોલીસને જાણ કરતા શાહગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
પિતા લિયાકત ખાને જણાવ્યું કે રિઝવાનાના લગ્ન લગભગ 6 વર્ષ અગાઉ ગામ કાજી ટીકમગઢના સાજીદ ખાન (36 વર્ષ) સાથે થયા હતા. એક મહિના અગાઉ સાજીદ અને રિઝવાના કારમાં ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ ઘટનામાં કારમાં આગ લાગી અને સાજીદ સળગીને ભડથું થઈ ગયો હતો. આ સંજોગોમાં રિઝવાના ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કેટલાક દિવસ બાદ તેને હોસ્પિટલમાંથી રજા મળી હતી. રિઝવાના દરરોજ તેના પતિનો ફોટો જોઈ સતત રડતી હતી.
30 એપ્રિલના રોજ સાગરના બહેરિયા પોલીસ સ્ટેશનમાં સાઈખેડાથી લિધૌરા વચ્ચે કાર અનિયંત્રિત થઈ ડિવાઈડર પર ચડી ગઈ અને આગ લાગી હતી. આ ઘટનામાં કારમાં સવાર સાજીદ ખાનનું સળગી જવાથી મોત થયું હતું. પત્ની રિઝવાના ખાન પોતાની નજર સામે જ પતિને સળગતો જોયો હતો, આ આઘાતમાંથી તે બહાર નિકળી શકી નહીં.